15 મહિના પછી ભારતની ટેસ્ટ ટીમમાં વાપસી કરશે આ માથાભારે ખેલાડી, અત્યાર થી જ જાણી‌ લ્યો કોણ‌ છે તે..

બાંગ્લાદેશની ટીમ આવતા મહિને ભારતના પ્રવાસે આવશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે, જેના માટે જ્યારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે, ત્યારે ટીમમાં 4 અનુભવી ખેલાડીઓની વાપસી થશે જે ટીમની બહાર હતા.

નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં શ્રીલંકામાં જીત અને હાર બંનેનો સ્વાદ ચાખ્યા બાદ પરત ફરેલી ટીમ ઈન્ડિયા હાલ આરામ કરી રહી છે. ભારતીય ટીમે હવે બાંગ્લાદેશ સામે સીધી ટેસ્ટ શ્રેણી રમવાની છે, જે 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. જેમ તે શ્રેણી માટેનો સમય નજીક આવશે તેમ ટીમ ઈન્ડિયાની પણ જાહેરાત કરવામાં આવશે. બાંગ્લાદેશ સામેની ભારતની ટેસ્ટ ટીમમાં ચાર ખેલાડીઓ કમબેક કરતા જોવા મળી શકે છે. આ ચારમાંથી એક ખેલાડી 15 મહિના પછી ટેસ્ટ મેચ રમતો જોવા મળી શકે છે.

4 ખેલાડીઓ વાપસી કરશે

બાંગ્લાદેશ સામે ભારતની ટેસ્ટ ટીમમાં જે ચાર ખેલાડીઓ વાપસી કરી શકે છે તેમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, આર. અશ્વિન અને રવીન્દ્ર જાડેજાના નામ સામેલ છે. જેમાંથી બુમરાહ, અશ્વિન અને જાડેજાએ આ વર્ષે માર્ચમાં છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. પરંતુ, શમીએ તેની છેલ્લી ટેસ્ટ ગયા વર્ષે જૂનમાં રમી હતી. આવી સ્થિતિમાં, જો તેને બાંગ્લાદેશ સાથે ટેસ્ટ શ્રેણી માટે પસંદ કરવામાં આવે છે, તો તે 15 મહિના પછી ટેસ્ટ મેચ રમતો જોવા મળશે.

શમી 15 મહિના પછી ટેસ્ટ રમશે!

શમી ઈજાના કારણે ટીમ ઈન્ડિયાથી દૂર છે. માત્ર ટેસ્ટ ક્રિકેટ જ નહીં, બાંગ્લાદેશ પ્રવાસ શરૂ થયો ત્યાં સુધીમાં શમીને સફેદ બોલની ક્રિકેટમાં કોઈપણ મેચ રમવામાં 10 મહિના થયા હશે. સારી વાત એ છે કે શમીએ હવે નેટ્સમાં બોલિંગ શરૂ કરી દીધી છે. તેની આ જ પ્રેક્ટિસને જોઈને ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજીત અગરકરે પણ શ્રીલંકા સામેની સિરીઝની શરૂઆત પહેલા કહ્યું હતું કે જો બધુ બરાબર રહેશે તો શમી બાંગ્લાદેશમાં ટેસ્ટ સિરીઝ રમતો જોવા મળી શકે છે.

અશ્વિન-બુમરાહ-જાડેજાનું થશે કમબેક!

અશ્વિનને લઈને ભારતીય ટીમ મેનેજમેન્ટનો અભિગમ હવે સ્પષ્ટ જણાય છે. તે માત્ર લાલ બોલની ક્રિકેટમાં જ રમાશે અને માર્ચમાં ઈંગ્લેન્ડ સાથે હોમ સિરીઝ રમ્યા બાદ હવે તે બાંગ્લાદેશ સાથે સીધી ટેસ્ટ સિરીઝ રમતો જોવા મળી શકે છે. બુમરાહ અને જાડેજા આ વર્ષે માર્ચમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમ્યા બાદ T20 વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ હતા. આ બંનેને શ્રીલંકા સામે વાઈટ બોલની શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો હતો અને હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે આ બંને ખેલાડીઓ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *