IPL માં ગૌતમ ગંભીર લખનવની ટીમમાંથી નીકળ્યા બાદ હવે આ ખેલાડી લખનઉ ની કમાન્ડ સંભાળશે..
આઈપીએલ 2025ની આગામી સીઝન પહેલા ફ્રેન્ચાઈઝી ટીમોમાં હડકંપ જોવા મળી રહ્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલની 18મી સીઝન માટે વિશ્વ વિજેતા ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનને પોતાની ટીમના મેન્ટર બનાવ્યા છે.
એલએસજીના માલિક સંજીવ ગોયનકાએ બુધવારે તેને લઈને એક પ્રેસ કોન્ફ્રેન્સનું આયોજન કર્યું હતું. જેમાં ઝહીર ખાનને એલએસજી સાથે જોડાવાની જાહેરાત કરી હતી.
ટીમ ઈંડિયાના પૂર્વ પેસર ઝહીર ખાન એલએસજીમાં ગૌતમ ગંભીરની જગ્યા લેશે. ટીમ ઈંડિયાના હેડ કોચ ગંભીરે આઈપીએલ 2024 પહેલા એલએસજી છોડીને કોલકાતા નાઈટ રાઈડર્સમાં જોડાયા હતા.
ઝહીર પહેલી વાર આઈપીએલમાં કોચિંગ સ્ટાફમાં સામેલ નહીં થાય. આ અગાઉ 2018થી લઈને 2022 સુધી તે મુંબઈ ઈંડિયંસ ફ્રેન્ચાઈઝી સાથે ડાયરેક્ટર ઓફ ક્રિકેટ તરીકે જોડાયેલ રહ્યો.ઝહીર ખાનનો એક વીડિયો એલએસજીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ એક્સ પર શેર કર્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે હવે હું લખનઉમાં છું. એલએસજીએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, લખનઉના દિલમાં તમે ખૂબ જ પહેલાથી હતા.
એક ખેલાડી તરીકે ઝાહીર ખાન આઈપીએલમાં ત્રણ ટીમ તરફથી રમી ચુક્યો છે. તે મુંબઈ ઈંડિયંસ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી ડેયરડેવિલ્સનો ભાગ રહી ચુક્યા છે. ઝહીર ખાન એલએસજીના હેડ કોચ જસ્ટિન લેંગર સાથે કોચિંગ સ્ટાફમાં સામેલ થશે, જેમાં લાંસ ક્લૂઝનર અને એડમ વોગ્ઝ જેવા દિગ્ગજ છે. જો કે ગોયનકાએ કેએલ રાહુલને લઈને કહ્યું કે, તે એલએસજી પરિવારનો ભાગ છે.
ક્રિકબઝના રિપોર્ટમાં સોમવારે દાવો કર્યો હતો કે, કેએલ રાહુલને એલએસજીએ આઈપીએલ 2022માં મેગા ઓક્શન પહેલા 17 કરોડ રૂપિયામાં ટીમમાં યથાવત રાખ્યો હતો. રાહુલ સોમવારે ફ્રેન્ચાઈઝીને કોલકાતા ઓફિસમાં ઓનર સંજીવ ગોયનકાને મળ્યા હતા. બંને વચ્ચે લગભગ એક કલાક લાંબી વાતચીત થઈ હતી.